Osho Quotes in Gujarati | 30+ Osho Quotes | ઓશોના અણમોલ વિચાર

Osho Quotes in Gujarati: ઓશો જેમને તેમના ભક્તો ભગવાન શ્રી રજનીશ ઓશો ના આમ થી જાણે છે તેમના અહી 30 થી વધુ સુવિચાર(Osho Quotes in Gujarati) ગુજરાતી ભાષા માં પ્રકાશિત કર્યા છે. અમને આશા છે કે આપને આ બધા સુવિચાર(Quotes) પસંદ આવશે.

રજનીશ ઓશો એ 20મી સદી માં થયેલા એક મહાન વિચારક, દ્રષ્ટા, તત્વદર્શી ફિલોસોફર હતા. પહેલા તેઓ પ્રોફેસર હતા અને બાદ માં તેમના અનુયાયી ની સંખ્યા માં વધારો થતાં અનુયાયી દ્વારા તેમને ભગવાન શ્રી રજનીશ ઓશો નો દરજ્જો આપવામાં આવેલો. તેમની જીવની પર પછી ક્યારેક વાત કરીશું અત્યારે અહી અમે આપની સાથે તેમના સુવિચાર ગુજરાતી ભાષા(Osho Quotes in Gujarati) માં શેર કરીએ છીએ

30+ Osho Quotes in Gujarati | ઓશો ના સુવિચાર

કોઈ વિચાર નહીં, કોઈ પણ વાત નહીં, અને કોઈ પણ વિકલ નહીં. શાંત રહો અને પોતાની સાથે જોડાવા નો પ્રયત્ન કરો.

Osho Quotes in Gujarati

કોઈની સાથે પ્રતિયોગિતા ની ક્યારેય આવશ્યકતા નથી તમે જેવા છો તેવાજ સારા છો. પોતેજ પોતાને સ્વીકાર કરવાની પહેલ કરો.


જેટલી થઈ શકે એટલી વધુ ભૂલો કરો, પણ યાદ રાખો કે એકની એક ભૂલ ફરીથી ના થાય. તમે જોશો કે તમે પ્રગતિ ના રસ્તે હશો.

Osho Quotes in Gujarati
Osho quotes in Gujarati | Osho Suvichar

જાણો છો તેવું બતાવવાની જરૂરત નથી. જે જાણો છો તે જ પૂરતું છે.

Osho

પોતાના મન માં જાવ અને તેનું વિશ્લેષણ કરો ક્યાંક તમે જ તેને દગો દીધો હશે.

Osho Quotes

સ્વયં માં જીવન નો કોઈ અર્થ નથી જીવન એ અર્થ બનાવવાનો અવસર છે.

Osho Quotes in Gujarati

જેમ અંધારું એ પ્રકાશ ની અનુપસ્થિતિ ના કારણે છે, તેમજ અહંકાર પર જ્ઞાન ની અનુપસ્થિતિ ના કારણે જ થાય છે.

Osho Quotes
Osho Quotes | Osho Suvichar in Gujarati

જ્યારે કઈક નુકશાન દાયક કાર્ય કરવાની હોય ત્યારેજ તાકાત ની જરૂરત હોય છે અન્યથા પ્રેમ અને કરુણા પર્યાપ્ત છે.

Osho

તમે જીવન ને ત્યારેજ સાચું સમજી શકશો જ્યારે તમે જીવન ને બનાવી શકો. જીવન એ એક કવિતા છે, જે લખી શકાય છે, ગાઈ શકાય છે, અને તેના પર નાચી પણ શકાય છે.

Osho Quotes in Gujarati

જ્યારે પણ તમને ડર લાગે તો તપાસ કરજો પાછળ સંતાયેલું મૃત્યુ જ મળશે, દરેક ડર નું મૂળ મૃત્યુ જ હોય છે.

Rajnish Osho

બંધન સિવાય કઈ પણ દુખ નથી.

Osho Quotes in Gujarati

તણાવ નો અર્થ એ છે કે આપ કઈક થવા માંગો છો જે આપ નથી.

Rajanish

જે કઈ પણ મહાન છે તેના પર કોઈ નો અધિકાર ના હોય શકે. આ સૌથી મૂર્ખ વાત છે જે મનુષ્ય કરે છે.

Rajnish Osho

અનુશાશન નો અર્થ છે કે આપની ભીતર નવી વ્યવસ્થા કરવી.

Osho Quotes in Gujarati

એક ભીડ, એક રાષ્ટ્ર, એક ધર્મ, કે એક જાતિ માટે શા માટે પોતાની જાતને વિભાજિત કરવી જ્યારે બધી વસ્તુ ઉપલબ્ધ હોય.

Osho Quotes

શોધશો નહીં, પૂછશો નહી, માંગશો નહીં, શાંત રહો તેને આવવુજ પડશે, તેને તમે ત્યાંજ પામશો. તમે શાંત થાવ તો તો તે તમારી શાથેજ હશે.

Osho Quotes in Gujarati

કોઈ પણ ચીજ ની ઈચ્છા કરતાં પહેલા થોડું વિચારી લો, પૂરી સંભાવના છે કે ઈચ્છા પૂરી થઈ જાય અને પછી પણ દુખ પ્રાપ્ત થાય.


પ્રેમ એક અધ્યાત્મિક ઘટના છે, વાસના ભૌતિક જ્યારે અહંકાર એ મનોવૈજ્ઞાનિક

Osho quotes on Love

શામિલ કરો અને વધો, શામિલ કરો અને વિસ્તાર કરો

Osho Quotes in Gujarati

જેની પાસે જેટલું ઓછું જ્ઞાન હશે તે હમેશા તેના પ્રત્યે જિદ્દી હશે.

Osho

સાહસ એ અજ્ઞાત વસ્તુ સાથે એક પ્રેમ સંબંધ છે.

Osho quotes on Love

જ્યાથી ડર પૂરો થાય છે ત્યાથી જીવન શરૂ થાય છે.

Rajnish

આ દુનિયા અપૂર્ણ છે એટલેજ એ વધી રહી છે. જો એ પૂર્ણ હોત તો ક્યારની મૃત્યુ પામી હોત. અપૂર્ણતા નો જ વિકાસ શક્ય છે.

Osho Quotes in Gujarati

પ્રેમ એકાલાપ નથી, એ તો એક સંવાદ છે. એક સામંજસ્ય પૂર્ણ સંવાદ.

Osho quotes on Love
Osho quotes on Love | Osho Suvichar in Gujarati

પ્રેમ એ લક્ષ્ય છે જીવન યાત્રા નું.

Osho quotes on Love

પ્રશ્ન એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે મૃત્યુ પહેલા તમે જીવિત છો કે નહીં.


જેવુ તમે વિચારો છો તેવાજ તમે બનો છો, તમે કેવા બનશો એ તમારી જ જવાબદારી છે.


તમારા ખુદ માટે તમે વિચાર શક્તિ એવા લોકો પાસે થી ઉધાર લીધી છે જે ખુદ એ નથી જાણતા કે તે સ્વયં કોણ છે.

Osho Quotes in Gujarati

તારા ને જોવા માટે એક નિશ્ચિત અંધકાર ને જોવાની આવશ્યકતા હોય છે.


સંભોગ નો વધુ ને વધુ વિરોધ થવાથી તે વધુ ને વધુ આકર્ષક બન્યું છે.

Osho quotes on Sex

પ્રેમી ક્યારેય એકબીજા માટે નહીં પરંતુ માત્ર પ્રેમ માટે આત્મસમર્પણ કરે છે.

Osho quotes on Love

વિશ્વાસ અને માન્યતા વચ્ચે બહુજ ઘણો તફાવત છે. વિશ્વાસ એ પોતાનો વ્યક્તિગત હોય છે જ્યારે માન્યતા એ સામાજિક હોય છે.

Osho quotes on Trust

ભીડ હમેશા ભ્રમ ઉત્પન કરે છે.


જ્ઞાન હમેશા મુક્ત કરે છે.

Osho quotes on Knowledge

નિષ્કર્ષ- Osho Gujarati Quotes – સુવિચાર

અહી અમે રજનીશ ઓશો ના 30 થી વધારે અણમોલ સુવિચાર રજૂ કર્યા છે. આ બધા સુવિચાર એ ઓશો દ્વારા તેમના જુદા જુદા વક્તવ્ય માં જુદા જુદા સંદર્ભ માં કહેવામા આવ્યા છે. એવું પણ બની શકે કે ક્યારેક જે સંદર્ભ માં તે અણમોલ વિચારો રજૂ કરવામાં આવ્યા હોય તે સંદર્ભ ની અનુપસ્થિતિ ને કારણે તેને સમજવામાં અસમંજસ પણ ઊભી થાય.

અમને આશા છે કે આપ પરિસ્થિતી નો વિચાર કરી અને આહિ આપેલા સુવિચાર ને સમજવાનો પ્રયત્ન કરશો.

ઓશો દ્વારા કહેવામા આવેલા દરેક સુવિચાર નું મહત્વ હોય છે કેમકે તેમના જેવા દર્શનિક વ્યક્તિ દ્વારા જ્યારે કઈ કહેવામા આવતું હોય ત્યારે તેનો અર્થ સમજવો થોડો સમય પણ માંગી લે તેવી પ્રક્રિયા પણ હોય.

આ સિવા આપ પણ કોઈ અન્ય સુવિચાર થી વાકેફ હોય તો આપ અમને અવશ્ય કમેંટ કરી જણાવશો. આપે આપેલા તમામ સુવિચાર ને અમે અમારા લેખ માં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment