તેમનો જન્મ દિલ્લી માં થયો હતો. અહમદ ખટ્ટુ ગંજબક્ષ શેખ સાહેબ ની ગણના ભારત ના છ મોટા પીરો માં થાય છે. તેઓ પોતાની પવિત્રતા અને લોકચાહના ના કારણે માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો વચ્ચે પણ પ્રચલિત બન્યા હતા.
અહમદ ખટ્ટુ ગંજબક્ષ ની પ્રેરણા અને આશીર્વાદ થી ગુજરાત ના તત્કાલિન સુલ્તાન અહમદશાહ દ્વારા સાબરમતી નદીને કિનારે આશાવલ પાસે અમદાવાદ શહેર નો પાયો નાખ્યો હતો.